Muslim to hindu: મુસ્લિમ યુવકે સ્વીકારી સનાતન પરંપરા, લિંગાયત મઠના મહંત બનાવવામાં આવશે
કર્ણાટકના હુબલી જિલ્લામાં એક મુસ્લિમ યુવકે સનાતન પરંપરાને અંગીકાર કરી છે. દીવાન શરીફ રહીમનસાબ મુલ્લા મામના આ 33 વર્ષના યુવકને ભગવા વસ્ત્રોમાં જોઈને કોઈ કહી શકે નહીં કે તે બીજા ધર્મના છે. તેમના ચહેરા પર જે તેજ છલકાય છે, તે તેમના આંતરિક પરિવર્તનને ઉજાગર કરે છે.
હુબલી: કર્ણાટકના હુબલી જિલ્લામાં એક મુસ્લિમ યુવકે સનાતન પરંપરાને અંગીકાર કરી છે. દીવાન શરીફ રહીમનસાબ મુલ્લા મામના આ 33 વર્ષના યુવકને ભગવા વસ્ત્રોમાં જોઈને કોઈ કહી શકે નહીં કે તે બીજા ધર્મના છે. તેમના ચહેરા પર જે તેજ છલકાય છે, તે તેમના આંતરિક પરિવર્તનને ઉજાગર કરે છે.
ભગવાન શ્રી બાસવન્નાથી પ્રભાવિત હતો મુલ્લા પરિવાર
રહીમન મુલ્લાનો પરિવાર શરૂઆતથી જ લિંગાયત સંપ્રદાયના સંસ્થાપક અને મહાન સમાજસુધારક ભગવાન બાસવન્નાથી પ્રભાવિત હતો. રહીમનના દિવંગત પિતાએ ખજૂરી મઠના પૂજારી મુરુગરાજેન્દ્ર કોરાનેશ્વર શિવયોગના પ્રવચનોથી પ્રભાવિત થઈને પોતાના ગામમાં મઠની સ્થાપના માટે બે એકર જમીનનું દાન કર્યું હતું.
શ્રી શિવયોગી કલબુર્ગીના ખજૂરી ગામના 350 વર્ષ જૂના કોરાનેશ્વર સંસ્થાન મઠ સાથે જોડાયેલા આ શા શાંતિધામ મઠના પ્રધાન છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube